Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયનયારા એનર્જીના ચેરમેન તરીકે નિમણુંક

નયારા એનર્જીના ચેરમેન તરીકે નિમણુંક

- Advertisement -

નયારા એનર્જીએ જાહેરાત કરી હતી કે, રિફાનરીના ડિરેક્ટર અને હેડ પ્રસાદ કે પનિકર 3 ઓક્ટોબર, 2022થી કંપનીના ચેરમેનની જવાબદારી સંભાળશે. પ્રસાદ કે પનિકર આ મહત્વપૂર્ણ ભૂમિકા ચાર્લ્સ એન્થોની (ટોની) ફાઉન્ટેન પાસેથી સંભાળશે, જેમની 5 વર્ષની સમર્પિત સેવાના ગાળામાં કંપનીની કામગીરી અને નાણાકીય સ્થિતિના સ્તરમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. અતિ પડકારજનક બાહ્ય વાતાવરણ હોવા છતાં નયારા એનર્જીએ પેટ્રો કેમિકલ્સમાં તબક્કાવાર વિસ્તરણ માટે સ્પષ્ટપણે ઉત્કૃષ્ટ વ્યૂહરચના વિકસાવી છે. એ વિકાસલક્ષી યોજનાનો પ્રથમ તબક્કો આગામી વર્ષમાં પોલીપ્રોપીલીનનું વિસ્તરણ કરશે. નયારા એનર્જીનું નોંધપાત્ર વિસ્તરણ થયું છે અને એક કટિબદ્ધતા સાથે એની સીએસઆર ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે, તે જે સમુદાયોમાં કામ કરે છે એનો વિકાસ થાય અને વૃદ્ધિ થાય. ફાઉન્ટેનના માર્ગદર્શન અંતર્ગત કંપનીએ અતિ અસરકારક કોર્પોરેટ વહીવટી વ્યવસ્થાઓ સ્થાપિત કરી છે, જેનાથી એની પ્રતિષ્ઠામાં વધારો થયો છે અને અતિ અનુભવી સીઈઓ અલોઇસ વિરાગના નેતૃત્વમાં અતિ મજબૂત એક્ઝિક્યુટિવ ટીમ કાર્યરત થઈ છે.

- Advertisement -

નયારા એનર્જી કંપનીને કેટલાંક સૌથી વધુ પડકારજનક આર્થિક ચક્રોમાંથી સફળતાપૂર્વક દોરી જવામાં અતિ મહત્વપૂર્ણ પ્રદાન કરવા બદલ તેમનો આભાર માનવા ઇચ્છે છે. ફાઉન્ટેને જણાવ્યું હતું કે, મને નયારામાં જે હાંસલ થયું છે એના પર ગર્વ છે અને આ હાંસલ કરવા માટે બોર્ડ સાથે કામ કરવાની વિશેષ ખુશી છે. કંપનીની અતિ સારી પોઝિશન અને 5 વર્ષ પછી હવે કંપની માટે આગામી રોમાંચક તબક્કો પ્રદાન કરવા મેનેજમેન્ટ ટીમ અને બોર્ડ સાથે નવા લીડરને કામ કરવાની તક આપવાનો ઉચિત સમય છે. એની વિકાસની સફરના નવા તબક્કામાં નયારા એનર્જી પોતાને ઇન્ટિગ્રેટેડ પેટ્રોકેમિકલ ઉત્પાદકમાં પરિવર્તિત કરવા એનો અદ્યતન એસેટ વિકાસ કાર્યક્રમ અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, તો એની ઇએસજી પહેલોનો વિચારપૂર્વક અમલ ચાલુ રાખશે, જે કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયના સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુખાકારી પર વધારે અસર કરે છે. આ નવી ભૂમિકામાં પનિકર વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વ્યૂહાત્મક પ્રાથમિકતાઓના નવા સેટ દ્વારા સ્થાનિક ભારતીય બજારમાં નયારા એનર્જીને લીડ લેવા તેમના ઉત્કૃષ્ટ ટેકનોલોજીકલ અનુભવ અને જાણકારીનો ઉપયોગ કરશે. પનિકર રિફાઇનરીના હેડ તરીકે તેમની મહત્વપૂર્ણ લીડરશિપ પણ જાળવી રાખશે, જે નયારા એનર્જીના મહત્વાકાંક્ષી વિકાસલક્ષી કાર્યક્રમના અમલ પર સાથ સહકાર આપશે. પનિકર રાષ્ટ્રીય અને સ્થાનિક સત્તામંડળોની અંદર સન્માનિત છે તથા ગુજરાત રાજ્યમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે, જે મજબૂત સીએસઆર પ્રદાન તથા હાલની અને નવી કટિબદ્ધતા ઓના સફળ અમલને સુનિશ્ર્ચિત કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular