Saturday, December 6, 2025
HomeUncategorizedજામનગરમાં કૂવામાંથી બાળકનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો

જામનગરમાં કૂવામાંથી બાળકનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો

4-5 દિવસ અગાઉ ઘરેથી લાપતા: પરિવારજનો દ્વારા સીટી એ ડિવિઝનમાં ગૂમનોંધ નોંધાવી : રમતા-રમતા અકસ્માતે કૂવામાં પડી જતાં મૃત્યુ

જામનગર શહેરમાં અકબરશા મસ્જીદ પાસેના વિસ્તારમાં રહેતો અને 4-5 દિવસ અગાઉ ઘરેથી લાપતા થયેલા 7 વર્ષના માસુમ બાળકનો મૃતદેહ ઘાંચીની ખડકી નજીક આવેલા અવાવરૂ કૂવામાંથી કોહવાઇ ગયેલી હાલતમાં મળી આવતા પોલીસ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી અકબરશા મસ્જીદ પાસેના વિસ્તારમાં રહેતો કાદર આરબ (ઉ.વ.7) નામનો બાળક છેલ્લા 4-5 દિવસથી તેના ઘરેથી લાપતા થયા બાદ તેમના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કાદરનો પતો લાગ્યો ન હતો જેથી પરિવારજનોએ સીટી એ ડિવિઝનમાં કાદર લાપતા થયાની નોંધ કરાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા કાદરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આજે સાંજે જામનગરના ઘાંચીની ખડકી પાસે આવેલા અવાવરૂ કૂવામાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની અને કોઇ મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢતા આ મૃતદેહ બાળકનો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કાદરના પરિવારજનોને ઓળખ માટે જાણ કરી હતી. આ મૃતદેહ અત્યંત કોહવાઇ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી તપાસ હાથ ધરતા બાળક રમતા-રમતા અકસ્માતે અવાવરુ કૂવામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યાનું ખૂલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular