જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં યુવકને તેના પિતાએ બાઈક લઇ જવાની ના પાડતા મનમાં લાગી આવતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

આ બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા શાંતિનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા ગુલાબભાઈ દયાળજીભાઈ સોલંકી (ઉ.વ.21) નામના યુવકને તેના પિતા દયાળજીભાઈએ બાઈક લઇ જવાની ના પાડી હતી જે બાબતનું મનમાં લાગી આવતા ગુલાબએ ગત તા.26 ના સાંજના 6 વાગ્યાના અરસામાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ મૃતકના પિતા દયાળજીભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ સી.એલ. ચિહલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.