Tuesday, August 4, 2026
Homeરાજ્યજામનગરજાહેરમાં ન્યુસન્સ બદલ જામ્યુકો દ્વારા રૂા.2.29 લાખના દંડની વસુલાત

જાહેરમાં ન્યુસન્સ બદલ જામ્યુકો દ્વારા રૂા.2.29 લાખના દંડની વસુલાત

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મુદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના 2100 જેટલા દુકાન ધારકો/કોર્મશીયલ એકમોને ન્યુસન્સ નોટીસ અપાઇ હતી. તેમ છતાં તકેદારી ન રાખવામાં આવતા 387 આસામીઓ/દુકાનધારકો પાસેથી જાહેરમાં ન્યુસન્સ બદલ રૂા.2.29 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં કોર્મશીયલ એકમો દ્વારા પોતાના ધંધા, એકમો, દુકાનો, દુકાન ધંધા આજુબાજુ સ્વચ્છતા જાળવતા ન હોય, દુકાન પાસે ડસ્બીન રાખતા ન હોય કે રાત્રે બંધ કર્યા બાદ કચરો જાહેરમાં નિકાલ કરતા હોય તેવા ન્યુસન્સ કરતા આસામી/ધંધાર્થીઓ સામે પગલા લેવા જામનગર મહાનગરપાલિકા કમિશ્નર દિપેશ કેડીયા દ્વારા સુચના અપાઇ હતી. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના 2100 જેટલા દુકાનધારકો/કોર્મશીયલ એકમોને ન્યુસન્સ નોટીસો ઇસ્યુ કરી પોતાના એકમો/ધંધા આજુબાજુ સ્વચ્છતા જાળવવા સુચના આપી હતી.

- Advertisement -

આમ છતાં દુકાનધારકો/ધંધાર્થીઓ દ્વારા પોતાના એકમોનો કચરો જાહેરમાં નિકાલ કરવા, ડસ્બીન ન રાખવા તથા રાત્રે દુકાન/ધંધો બંધ કરી પોતાના ધંધાનો કચરો જાહેરમાં નિકાલ કરતા હોય આ અંગે ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતાં. અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 387 આસામીઓ/દુકાનધારકો પાસેથી જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા બદલ રૂા.2.29 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ કોર્મશીયલ એકમો, ધંધાર્થીઓ, દુકાનધારકોને પોતાના દુકાન/ધંધા આજુબાજુ સ્વચ્છતા જાળવવા, કચરાને પોતાના જ ડસ્ટબીનમાં રાખવા અને મનપાના કાર્બેજ કલેકશન વાહનમાં જ નિકાલ કરવા તાકીદ કરવામાં આવી છે. તથા શહેરના જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવામાં યોગદાન આપવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular