Tuesday, May 21, 2024
Homeરાષ્ટ્રીયબાલાકોટ એરસ્ટ્રાઈક પર પ્રધાનમંત્રી મોદીએ ખોલ્યા રહસ્ય

બાલાકોટ એરસ્ટ્રાઈક પર પ્રધાનમંત્રી મોદીએ ખોલ્યા રહસ્ય

"મોદી વસ્તુઓ છુપાવવામાં માને છે, પણ હુમલો કરવામાં નહીં, અમે ખુલ્લે આમ લડીશું”

- Advertisement -

સોમવારે કર્ણાટકના બાગલકોટમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં તેમના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહી બાદ જ્યારે સેના મીડિયાને ફોન કરીને એર સ્ટ્રાઈક વિશે જાણકારી આપવાની હતી.

- Advertisement -

ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, “જ્યાં સુધી હું પાકિસ્તાન સાથે વાત ન કરી શકું ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ અટકાવી દે. પહેલા હું પાકિસ્તાની અધિકારીઓને ફોન પર સ્ટ્રાઈક વિશે જણાવીશ, પરંતુ પહેલા તો તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. આથી મેં સેનાને રાહ જોવાનું કહ્યું. પાકિસ્તાની અધિકારીઓને જાણ કર્યા પછી, અમે રાતે થયેલા આ હવાઈ હુમલા વિશે દુનિયાને જણાવ્યું હતું. મોદી વસ્તુઓ છુપાવવામાં માને છે, પાછળથી હુમલો નહીં, અમે ખુલ્લેઆમ લડીશું. 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા તે જ વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય અર્ધલશ્કરી દળો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ સંરક્ષણ દળોના વાહન પાસે ગનપાઉડર અને વિસ્ફોટકોથી ભરેલા વાહનને વિસ્ફોટ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular