Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં 7.75 લાખ લોકોને વેકિસનેશન

જામનગર શહેરમાં 7.75 લાખ લોકોને વેકિસનેશન

બીજા ડોઝની પાત્રતા હોવા છતાં બીજો ડોઝ ન લેતા લોકો માટે પ્રવેશ બંધ : 3 લાખ લોકોને બન્ને ડોઝ અપાયા : 4.74 લાખ લોકોને માત્ર પ્રથમ ડોઝ

- Advertisement -

જામનગર શહેરમાં કોવિડ-19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને રક્ષણ મળે તે માટે મોટાપાયે વેકિસનેશનની કામગીરી ચાલી રહી છે. તેમજ અત્યાર સુધીમાં જામનગર શહેરના નાગરિકોને કુલ 7,75,178 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ડોઝ 4,74,253 અને બીજો ડોઝ 3,00,925 આપવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ લોકોને કોવિડ 19 વેકસિન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો અંતર્ગત તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ, શાળાઓમાં સ્લમ વિસ્તારમાં જઈને વેકસિનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓને 100 ટકા પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે વેકિસન મહાઅભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લાખોટા મ્યુઝિમ, રણમલ લેક, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફિસ, કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ સેન્ટર, શહેરમાં આવેલ જુદા-જુદા ગાર્ડન અને જામનગર મહાનગરપાલિકાની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલાં કોવિડ વેકસીનેશનના સર્ટીફિકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે. આમ કોવિડ 19 વેકિસનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં બીજો ડોઝ ન લીધો તેવા વ્યકિતઓને ઉપરોકત જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular