જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે. છેલ્લા થોડા દિવસોથી જે ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેના કારણે સરહદી વિસ્તારમાં આવેલા ગામો સાવચેત થયા છે.

જામનગરના ફલ્લામાં ગામમાં સાયરન અને વોકીટોકી, સીસીટીવી, લાઉટસ્પીકર, વોટસઅપ ગ્રુપ સહીતની સવલતો ગામમાં ઉપલબ્ધ છે.
ફલ્લામાં અંદાજે 6 હજારથી વધુની વસ્તી છે. જે જામનગરથી નજીક આવેલુ છે. ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરીયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાના ત્રણ મથકો જામનગરમાં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતર્કતા વધુ જરૂરી હોય છે. જેના ધ્યાને લઈને ગામના તલાટી રીયાંશીબેન ભોગાયતા અને માજી સરપંચ લલીતાબેન કમલેશ ધમાસાણિયા બંન્ને સાથે મળીને યુધ્ધ જેવી સ્થિતી ધ્યાને રાખીને આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધાર્યો છે. જેમાં ગામમાં 5 વર્ષથી 20 સીસીસીટી કાર્યરત છે. ઉપરાંત ગામમાં લાઉડસ્પીકર છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ થતા હવેથી 6 વોકીટોકીનો સેટ પણ રાખીને ગામને સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે.
જો યુધ્ધ જેવી સ્થિતિ થાય તો ગામમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં 3 સાયરન લગાવામાં આવ્યા છે. જો બ્લેકઆઉટ વખતે વીજળી ગુલ થાય તો વોકીટોકીથી સ્વયંસેવકો વિવિધ વિસ્તારમાં કાર્યરત રહી શકે. ફલ્લામાં ગામમાં સેવાભાવિ સંસ્થાના આર્થિક સહયોગથી અંદાજે 1 લાખના ખર્ચથી વોકીટોકીનો સેટ અને સાયરન ઈન્વેટર સાથે તેમજ લાઉડ સ્પીકરનો વધારો કર્યો છે. તમામ વોકીટોકી સુભાષ ધમસાણિયાની નેતૃત્વમાં છ સ્વયંસેવકો અલગ-અલગ વિસ્તારમાં સેવા બજાવશે. સાયરન અને લાઉડસ્પીકરની સંચાલનની જવાબદારી ગોવિંદ ભરવાડને આપવામાં આવી છે. ફલ્લા ગામની જેમ અન્ય સરહદી વિસ્તારના ગામોએ પણ આ પ્રકારે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી યુદ્ધી જેવી સ્થિતિમાં એક બીજાને મદદરૂપ થવા પ્રયાસ કરવો જોઇએ.