સલાયામાં રહેતા એક મહિલા દ્વારા સ્થાનિક રહીશ એવા અકબર ઓસમાણ સહિતના આસામીઓ સામે થોડા સમય પૂર્વે પોતાના પુત્રને બંદૂકની અણીએ લઈ જઈ અને તેણી પર દુષ્કર્મ ગુજારવા સબબની ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકરણમાં મહિલાના પિતાની સમજાવટથી સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપી તરફે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા અંગેની અરજી કરવામાં આવતા સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરિયાદ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આરોપી તરફે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ હર્ષિલ સી. દતાણી તથા ખંભાળિયાના વકીલ એચ.વી. કાનાબાર તથા સમીર એસ. ધ્રુવ રોકાયા હતા.