Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતજામનગર સહિત 8 મહાનગરો ઉપરાંત 17 શહેરોમાં રાત્રી કફર્યુ

જામનગર સહિત 8 મહાનગરો ઉપરાંત 17 શહેરોમાં રાત્રી કફર્યુ

રાત્રી કફર્યુનો સમય તથા લગ્નસમારોહમાં સંખ્યાનો નિર્ણય યથાવત

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ જામનગર સહિત 8 મહાનગરો ઉપરાંત રાજયના વધુ 17 શહેરોમાં રાત્રિ કફર્યુ અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ રાત્રી કફર્યુંનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો યથાવત રાખવામાં આવ્યો છે. તેમજ હોટલ રેસ્ટોરન્ટને હોમ ડિલેવરીની સેવા 24 કલાક ચાલુ રાખવા છુટ આપવામાં આવી છે.

રાજયમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આજે ગુજરાત સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છેે. જેમાં હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, કલોલ, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી 29 જાન્યુઆરી સુધી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

રાત્રિ કફર્યુની હાલની જે સમયાવધિ તા.રર-1-ર0રરના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે. આ ઉપરાંત હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર4 કલાક ચાલુ રાખી શકાશે. તેમજ લગ્નસમારોહમાં 150 વ્યકિતઓની મંજૂરી યથાવત રાખવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular