Friday, April 19, 2024
HomeUncategorizedધર્મનગરી કાશી પહોંચ્યો લાઉડ સ્પીકર વિવાદ

ધર્મનગરી કાશી પહોંચ્યો લાઉડ સ્પીકર વિવાદ

- Advertisement -

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ જેવો કિસ્સો હવે ધર્મની નગરી કાશી સુધી પહોંચ્યો છે. વારાણસીમાં શ્રી કાશી વિશ્ર્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલન દ્વારા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. જ્યાં અઝાનના સમયે મોટા અવાજમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. આ લાઉડ સ્પીકર ઘરોની છત પર લગાવવામાં આવ્યા છે. વારાણસીના સાકેત નગર વિસ્તારમાં આંદોલનના અધ્યક્ષ સુધીર સિંહે પોતાના ઘરેથી જ તેની શરૂઆત ડરી છે. તેમણે કહ્યું છે કે અઝાનના દરેક સમયે લાઉડ સ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે કહ્યું કે તેમનો હેતુ હિંદુ-મુસ્લિમ સૌહાધને ખલેલ પહોંચાડવાનો નથી. શ્રી કાશી વિશ્ર્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલનના પ્રમુખ સુધીર સિંહ જેમણે લાઉડ સ્પીકર દ્વારા પોતાના ઘરેથી હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ ક્યું. તેમણે જણાવ્યું કે કાશીમાં વહેલી સવારથી જ વૈદિક પઠન થતું હતું અને હનુમાન ચાલીસાની પૂજા અને પાઠ પણ થતા હતા. હા, દબાણને કારણે આ બધી વસ્તુઓ બંધ થઈ ગઈ.

- Advertisement -

સુધીર સિંહે કહ્યું કે તેની પાછળ કોટના આદેશને ટાંકવામાં આવ્યો હતો જેમાં ધ્વનિ પ્રદૂષણનું કારણ ટાંકવામાં આવ્યું હતું, અમે અમારા મંદિરોમાંથી લાઉડ સ્પીકર હટાવી દોધા હતા, પરંતુ મસ્જિદોમાં એ જ રીતે લાઉડસ્પીકર રાખવામાં આવ્યા હતા, સવારે સાડા ચાર વાગ્યાથી અઝાનનો અવાજ આવવા લાગે છે. સુધીર સિંહે વધુમાં કહ્યું કે અમે નક્કી કર્યું છે કે જ્યારે અઝાનનો અવાજ આવી રહ્યો છે તો પછી શા માટે આપણે આપણા મંદિરોમાંથી લાઉડ સ્પીકર પર વૈદિક મંત્રો અને હનુમાન ચાલીસાના પાઠ પણ ન કરીએ. આ કારણે જ અમે અઝાન શરૂ થતાં જ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કયું. સુધીર સિંહે કહ્યું કે અઝાનના અવાજને લઈને ભૂતકાળમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે અઝાનને ધીમો પાડવો જોઈએ જેથી અમે તેના અવાજથી પરેશાન ના થઈએ. તેણે કહ્યું કે તે અત્યારે ચારથી પાંચ વખત લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો છે પરંતુ નિયમ પ્રમાણે હનુમાન ચાલીસાનો પાઠ સૂયોદય અને સૂર્યાસ્ત સમયે જ કરવામાં આવે છે તેથી આગળ જતાં આ બે સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular