જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડીમાં ભારત મિલ પાછળના વિસ્તારમાં રહેતાં સાયરાબેન નામના મહિલાએ ગઈકાલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બનાવની જાણના આધારે પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયયો હતો અને તપાસ હાથ ધરતા મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હોવાનું ખુલતા પોલીસે વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.