Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરVideo : ઠેકાણા વગરના નદીના પટ્ટના મેળાનું ઉદ્ઘાટન રદ્ કરાયું

Video : ઠેકાણા વગરના નદીના પટ્ટના મેળાનું ઉદ્ઘાટન રદ્ કરાયું

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા ગઇકાલે શુક્રવારે સાંજે શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતિ નદીના પટ્ટમાં યોજાનારા શ્રાવણી લોકમેળાના ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નદીના પટ્ટમાં યોજાનાર મેળાના કોઇ ઠેકાણા ન હોય, સત્તાધિશોએ આ મેળાનું ઉદ્ઘાટન રદ્ કર્યું હતું.

- Advertisement -

જ્યારે પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નદીના પટ્ટના મેળામાં ધંધાર્થીઓને બહુ રસ ન હોય. પ્રથમ પ્રયાસમાં મેળાના ટેન્ડરો ભરાયા ન હતાં. જ્યારે બીજા પ્રયાસમાં ખૂબ નીચા ભાવે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. તેમ છતાં અહીં કોઇપણ પ્રકારની રાઇડ કે વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવતાં ઉદ્ઘાટન કરવાનું ટાળી દેવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular