Saturday, July 27, 2024
Homeરાજ્યહાલાર ઝઘડામાં છૂટા પાડવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

 ઝઘડામાં છૂટા પાડવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

છરી, ધારીયા અને પથ્થરના ઘા ઝીંકયા : ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો: પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર ગામમાં લાડવા શેરીમાં ઝઘડામાં છૂટા પાડવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોએ છરી ધારીયા અને પથ્થર વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ગંજીવાડામાં રહેતો અમિત ભગવાનજીભાઈ વરાણિયા (ઉ.વ.38) નામનો યુવાન ઝઘડો કરતા લોકોને છૂટા પાડવા જતાં તોફિક હુશેન મકરાણી, રજાક હુશેન મકરાણી, મેરુન હુશેન મકરાણી, ખેરુન હુશેન મકરાણી નામના ચાર શખ્સોએ એકસંપ કરી અમિત ઉપર છરી અને ધારીયા તથા પથ્થર વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનવની જાણના આધારે હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે અમિતના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular