Friday, April 19, 2024
Homeરાજ્યસાંસદ પૂનમબેન માડમ દ્વારા બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ભારતના આરોગ્ય તંત્રને વધુ સુદ્રઢ અને વૈશ્વિક સ્તરનું બનાવવાની દિશામાં સરકાર સતત આગળ વધી રહી છે - સાંસદ પૂનમબેન માડમ

- Advertisement -

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ જામનગરની વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની કોવિડ-૧૯ની ગ્રાન્ટમાંથી બે નવીન અદ્યતન એમ્બ્યુલન્સનું સાંસદ પૂનમબેન માડમ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

- Advertisement -

આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે પોતાના વિસ્તારની જરૂરિયાતોને ઓળખી તાત્કાલિક એ સુવિધા ઉપલબ્ધ કરાવવી અને પોતાના વિસ્તારનો અવાજ મજબૂતીથી જે તે મંચ સુધી પહોંચાડી વધુમાં વધુ લોક સુખાકારી ઉપલબ્ધ કરાવવી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રાથમિક ફરજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આરોગ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી હોય. આરોગ્ય માળખાને વધુ મજબુત બનાવવા સરકાર દ્વારા વિશેષ બજેટની પણ જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ભારત જેવું સુદ્રઢ આરોગ્ય તંત્ર અન્ય ક્યાંય જોવા ન મળે એ દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ તથા પી.એચ.સી.-સી.એચ.સીનું આધુનિકીકરણ કરી સરકાર દેશના આરોગ્ય માળખાને વધુ ઉંચાઇ ઉપલબ્ધ કરાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નવીન એમ્બ્યુલન્સના લોકાર્પણથી વાંસજાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વાંસજાળીયા, સતાપર, ઉદેપુર, તરસાઇ, જામ સખપુર તેમજ પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના પરડવા, પાટણ, અમરાપર, વરવાળા, મહીકી તથા આજુબાજુના ૧૫ થી વધુ નેશ વિસ્તારોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો થશે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન સાકરીયા, જામનગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ સાંગાણી, પૂર્વ મહામંત્રી કેતનભાઈ કડિવાર, તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ દેવાભાઇ પરમાર, વાસ્મોના ડિરેક્ટર અમુભાઈ વૈશ્નાણી, તાલુકા વિકાસ અધિકારી વાઘેલા, આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, જયસુખભાઇ વડાલીયા, જે.ટી. ડોડીયા, જેઠાભાઇ મોરી, ખુશાલભાઇ, નરેન્દ્રભાઈ કડીવાર, જેસુખભાઇ વડાલીયા, ગોવીંદભાઇ બડીયાવદરા, ભુપતભાઇ વાઘેલા, જગદીશભાઇ સોગાત સહિતના મહાનુભાવો તથા વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular