Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં વૃદ્ધ અને યુવાનનો ભોગ

દ્વારકા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં વૃદ્ધ અને યુવાનનો ભોગ

ટ્રકે બાઇકને હડફેટ લેતાં ખંભાળિયાના વૃધ્ધનું મૃત્યુ : ભાટિયા નજીક ચાલીને જતાં યુવાનને ટ્રકએ ઠોકર મારતા મોત : પોલીસ દ્વારા બન્ને કેસમાં ગુનો નોંધી તપાસ

દ્વારકા જિલ્લાના ભોગાત ગામ નજીક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતાં બાઇક ચાલક વૃઘ્ધનું ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નિપજયું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભાટિયા નજીકથી ચાલીને જઇ રહેલા યુવાનને ટ્રકચાલકે ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે રહેતા ધીરજલાલ જમનાદાસ મેસવાણીયા નામના 65 વર્ષના વૃદ્ધ ગુરુવારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 8308 નંબરના એક ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતા તેમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગ અંગે મૃતકના પુત્ર યોગેશકુમાર ધીરજલાલ મેસવાણીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા જયકુમાર કરસનભાઈ રાવલીયા નામના 30 વર્ષના યુવાન ભાટિયા બાયપાસના ઓવરબ્રિજ નજીક દ્વારકા બાજુના છેડેથી ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમય પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 8132 નંબરના એક ટ્રકના ચાલકે તેમને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક જયકુમાર રાવલિયાના મામા સામતભાઈ મારખીભાઈ ચાવડાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular