Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરવીજશોક લાગતા પાણીમાં પડી જવાથી યુવાનનું મોત

વીજશોક લાગતા પાણીમાં પડી જવાથી યુવાનનું મોત

જામનગરના લાલવાડીમાં બનાવ: બેશુધ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો: પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહરેના લાલવાડી શાંતિવીલા સોસાયટીમાં રહેતાં યુવાનને વીજશોક લાગતા પાણીમાં પડી જતાં પાણી પી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના લાલવાડી શાંતિવીલા સોસાયટી શેરી નં.1 માં રહેતાં કનકસિંહ રવુભા જાડેજા (ઉ.વ.48) નામના યુવાન ગત તા.28 ના રોજ રાત્રિના સમયે તેના ઘરે વીજશોક લાગતા નીચે પાણીમાં પડી જતાં ડૂબી જવાથી પાણી પી ગયા હતાં. જેના કારણે બેશુદ્ધ થઈ જતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મયુરસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular