Wednesday, July 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનનો અગમ્ય કારણોસર આપઘાત

જામનગરમાં યુવાનનો અગમ્ય કારણોસર આપઘાત

પોતાના સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં યુવાને સરદારનગર વિસ્તારમાં આવેલ સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરના શંકર ટેકરીના નહેરૂનગરની શેરી નંબર 9(ડી)માં રહેતાં દિનેશભાઇ જયંતીભાઇ સોમેશ્વરા નામના 35 વર્ષના યુવાને ગત્ તા. 4 જુલાઇના રોજ બપોરના સમયે જામનગરના સરદારનગર, શેરી નંબર 9, ક્રિષ્ના સ્ટુડિયોમાં છતના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના પિતા જયંતીભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘સી’ના એએસઆઇ ટી. કે. ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular