જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોરમાં 45,000ની કિમતનો ટ્રાન્સમીટર લાઈનના ટાવરપોલ પર અર્થીંગ કોપર કેબલ વાયર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે આવેલ ટાવર લોકેશન નંબર ૨૨૮ તેમજ 229 ઉપર તેમજ ખાયડી ગામે આવેલ લોકેશન નંબર 69 ઉપર આવેલ ટ્રાન્સમીટર લાઈનના ટાવરપોલ પર અર્થીંગ કોપર કેબલ વાયર આશરે 45,000 ની કિમતનો 75 મીટર વાયર અજાણ્યા શખ્શો ઓજાર વડે કાપી ચોરી કરી ગયા હતા. આ અંગે ટપુભાઈ ગોજીયા દ્વારા જાણ કરાતા પો.હે.કો. એન.પી.વસરા તથા સ્ટાફે તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.