Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન આગામી બે દિવસ અમદાવાદ સુધી જશે

જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન આગામી બે દિવસ અમદાવાદ સુધી જશે

- Advertisement -

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો ને અસર થશે.

- Advertisement -

ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 31 જાન્યુઆરી, 2024 અને 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 31 જાન્યુઆરી, 2024 અને 1 ફેબ્રુઆરી, 2024ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular