Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો મિલકતવેરા શાખા દ્વારા વધુ છ મિલકતો જપ્ત

જામ્યુકો મિલકતવેરા શાખા દ્વારા વધુ છ મિલકતો જપ્ત

- Advertisement -

જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા શાખા દ્વારા મિલકતવેરો ન ભરનાર વધુ છ આસામીઓની મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને હજુ આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય, બાકી મિલકતવેરા ધારકોને વેરો ભરપાઇ કરવા તાકીદ કરવામાં આવ્યું છે.

- Advertisement -

કમિશનર ડી.એન.મોદીની સૂચના અને આસિ. કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ જામ્યુકો મિલકતવેરા શાખા દ્વારા તા.31-3-2023 સુધીનો મિલકતવેરો ન ભરનાર મિલકતધારકોને નોટિસ આપવામાં આવ્યાં છતાં મિલકતવેરો ન ભરતા મિલકતજપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મીનાબેન સુરેશભાઇ પંડ્યા C/o. ઓપેરા હેર આર્ટ, યાસીન એન્ડ કંપની ભાગીદારી પેઢી, અર્જુનભાઇ પરમાર-રતનબેન અર્જુનભાઇ પરમાર તથા કે.પી.ઇન્ફ્રાસ્ટ્રકચરની કુલ ત્રણ મિલકતો સહિત કુલ છ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular