Thursday, May 22, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસનિરોગી રહેવા બસ આટલું કરો

નિરોગી રહેવા બસ આટલું કરો

શું તમારે પણ નિરોગી અને સ્વસ્થ જીવન પસાર કરવું છે ?? જો આ પ્રશ્નોના જવાબ હા માં હોય તો આ આર્ટીકલને જરૂરથી વાંચજો.

આજકાલની લાઈફસ્ટાઈલ જ કંઈક ખોટી ચાલે છે જેને પરિણામે અસામાન્ય રોગો પર હવે સામાન્ય થઈ રહ્યા છે ત્યારે શું આપણે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી જણાય એવા થોડા બદલાવો આપણી રોજીંદા જીવનમાં કરી શકીએ…? શું તમારે પણ નિરોગી અને સ્વસ્થ જીવન પસાર કરવું છે ?? જો આ પ્રશ્નોના જવાબ હા માં હોય તો આ આર્ટીકલને જરૂરથી વાંચજો.

- Advertisement -

રોજીંદી ટેવોમાં નાનકડો ફેરફાર આપણને તંદુરસ્તી પ્રદાન કરશે અને આપણે એક સ્વાસ્થ્ય જીવન જીવી શકીશું. આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા અહીં આપણને કેટલીક મહત્વની ટીપ્સ જણાવે છે. તો ચાલો તે ટીપ્સ વિશે જાણીએ…

ફીઝના પાણીની જગ્યા પર માટલાનું પાણી પીવું.
દાંત સાફ કરવા નમક, બાવળ કે લીમડાનું દાંતણ કે આયુર્વેદિક ટુથપેસ્ટનો ઉપયોગ કરવો.
આયુર્વેદિક દવાથી રોગ કાબુમાં આવતો હોય ત્યાં સધુી એલોપેથી દવા ટાળવી.
ભેંસના બદલે ગાયના ઘી-દૂધનું સેવન કરવું.
લીલા શાકભાજી, કઠોળનો રેગ્યુલર ઉપયોગ કરવો.
વેજીટેબલ ઘી ને બદલે ચોખ્ખા ઘીનું સેવન કરવું.
સિંગતેલ ને બદલે તલ તેલ સેવન કરવું.
ચા, કોફી ને બદલે દૂધ, છાશનું સેવન કરવું.
પામોલી તેલ, વેજીટેબલ ઘી ની જગ્યા પર તલનું તેલ કે સિંગતેલનો ઉપયોગ કરવો.
તુવેરને બદલે મગનું સેવન કરવું.
બજારૂ પીણને બદલે દૂધ, છાશનું સેવન કરવું.
ખાંડને બદલે સાકર, ગોળનું સેવન કરવું.
બટેટાને બદલે સુરણનું સેવન કરવું.
મરચાને બદલે મરીનું સેવન કરવું.
મીઠાને બદલે સિંધવનું સેવન કરવું.
બહારના ખોરાકને બદલે ઘરનો ખોરાક સેવન કરવું.
માસાહારને બદલે ફળોનું સેવન કરવું.
સાંજે 7 પછી બન્ને ત્યાં સુધી જમવું ન જોઇએ જો શકય ન હોય તો હળવો ખોરાક લેવો.
બસ આટલું કરવાથી તમારું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહેશે.

- Advertisement -

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular