ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. જેમાં જામનગર જિલ્લાનું 85.55% અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 83.48% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં કુલ 873 વિદ્યાર્થીઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 208 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામને લઇ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ખુશીની લાગણી છવાઇ છે. શાળાઓ ખાતે વિદ્યાર્થીઓના મ્હોં મીઠાં કરાવી પરિણામની ઉજવણી કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલ ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરિક્ષાનું આજે સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત બોર્ડનું સમગ્ર રાજ્યનું 83.08% પરિણામ જાહેર થયું છે. જ્યારે જામનગર જિલ્લાનું 85.55% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત્ વર્ષે જામનગરનું પરિણામ 82.31% હતું. આમ, આ વર્ષે ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો છે. જામનગર જિલ્લાના પરિણામની વાત કરીએ તો, કુલ 14,797 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 14,557 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓ પૈકી 873 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ, 2187 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ, 2750 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ, 2913 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ, 2553 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ, 1100 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ, 78 વિદ્યાર્થીઓ ડી ગ્રેડ, 1354 વિદ્યાર્થીઓ ઇ-વન ગ્રેડ તથા 749 વિદ્યાર્થીઓએ ઇ-2 ગ્રેડ મેળવ્યો છે. કુલ 12,454 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં સમગ્ર જિલ્લાનું 85.55% પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લામાં કુલ 41 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે.
કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રમાં કુલ 1855 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1842 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 1729 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 93.87% પરિણામ આવ્યું છે. જે ગત્ વર્ષ કરતાં 2.91% ઉચું પરિણામ દર્શાવે છે. જામજોધપુર કેન્દ્રમાં કુલ 1191 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1169 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 1000 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 85.54% પરિણામ આવ્યું છે. જે ગત્ વર્ષ કરતાં 8.97% ઉચું પરિણામ દર્શાવે છે. જામનગર સિટીમાં કુલ 2569 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 2546 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 2229 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 87.55% પરિણામ આવ્યું છે. જે ગત્ વર્ષ કરતાં 7.05% ઉચું પરિણામ દર્શાવે છે. જામનગર (ડીઆઇજી) કેન્દ્રમાં કુલ 5417 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 5338 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 4598 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 86.14% પરિણામ આવ્યું છે. જે ગત્ વર્ષ કરતાં 1.09% ઉચું પરિણામ દર્શાવે છે. કાલાવડ કેન્દ્રમાં કુલ 1495 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1465 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 1211 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 82.66% પરિણામ આવ્યું છે. જે ગત્ વર્ષ કરતાં 4.50% ઉચું પરિણામ દર્શાવે છે. જોડિયા કેન્દ્રમાં કુલ 341 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 332 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 304 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 91.57% પરિણામ આવ્યું છે. જે ગત્ વર્ષ કરતાં 6.25% ઉચું પરિણામ દર્શાવે છે. લાલપુર કેન્દ્રમાં કુલ 1021 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 980 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 761 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 77.65% પરિણામ આવ્યું છે. જે ગત્ વર્ષ કરતાં 1.67% ઉચું પરિણામ દર્શાવે છે. સિક્કા કેન્દ્રમાં કુલ 442 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 435 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 280 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 64.37% પરિણામ આવ્યું છે. જેમાં ગત્ વર્ષ કરતાં 8.51% ઘટાડો નોંધાયો છે. જાંબુડા કેન્દ્રમાં કુલ 334 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 328 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 257 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 78.35% પરિણામ આવ્યું છે. જેમાં ગત્ વર્ષ કરતાં 1.14% ઘટાડો નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પણ નોંધપાત્ર 83.48% રિઝલ્ટ આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ના 67.29% અને વર્ષ 2024 ના 79.90% રીઝલ્ટ માં ઉતરોતર વધારા સાથે જિલ્લાનું 83 48% પરિણામ જાહેર થયું છે.
ધોરણ 10 માં નોંધાયેલા કુલ 7956 વિદ્યાર્થીઓ પૈકી 208 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે 983 વિદ્યાર્થીઓએ એ-2, 1490 વિદ્યાર્થીઓએ બી-1, 1780 વિદ્યાર્થીઓએ બી-2, 1457 વિદ્યાર્થીઓએ સી-1,590 વિદ્યાર્થીઓએ સી-2 અને 39 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.
આ સાથે ગત વર્ષે જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી 19 શાળાઓની સંખ્યા સામે આ વખતે 6 નો વધારો થતાં જિલ્લાની 25 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે એક શાળાનું પરિણામ 0% આવ્યું છે. ખંભાળિયા તાલુકાના નોંધાયેલા કુલ 2953 પૈકી 85.37 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ગત વર્ષે આ ટકાવારી 748ની હતી. આ સાથે ભાણવડ તાલુકાનું પરિણામ 84.10%, દ્વારકા તાલુકાનું પરિણામ 74.93%, રાવલનું પરિણામ ગત વર્ષના 88.75% ની સાપેક્ષમાં 14.40% જેટલા ઘટાડા સાથે 74.35%, મીઠાપુરનું પરિણામ 73.31% ભાટિયાનું પરિણામ 90.24%, કલ્યાણપુર તાલુકાનું પરિણામ 79.81% અને નંદાણા કેન્દ્રનું પરિણામ 92.65 % આવ્યું છે.
ગત્ વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લાનું કુલ સરેરાશ પરિણામ ચાર ટકા જેટલું ઊંચું તેમજ 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ 6 નો વધારો થતા આ ઉજવળ પરિણામ બદલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવિદોને જિલ્લા શિક્ષણ તંત્ર તેમજ જિલ્લા કલેકટર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.