Saturday, July 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઇરાને પણ પાકિસ્તાન પર કરી સર્જિકલ સ્ટ્રાઇક

ઇરાને પણ પાકિસ્તાન પર કરી સર્જિકલ સ્ટ્રાઇક

- Advertisement -

ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. તેના પર પાકિસ્તાને દાવો કર્યો છે કે હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે આ અમારા એરસ્પેસનું ઉલ્લંઘન છે. તો બીજી તરફ ઇરાને દાવો કર્યો છે કે હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. એવો પણ દાવો કર્યો છે કે મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ થયો હતો અને આતંકી અડ્ડાઓનો નાશ કરાયો હતો.

- Advertisement -

ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હુમલા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે, પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આના ગંભીર પરિણામો આવી શકે છે.

પાકિસ્તાને ઈરાની હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેણે તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ સિવાય પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાની રાજદ્વારીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે આતંકવાદ એ ક્ષેત્રના તમામ દેશો માટે એક સામાન્ય ખતરો છે, જેના માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. જો કે, આવા હુમલા સારા પાડોશી હોવાનો પુરાવો આપતા નથી. આ કારણે દ્વિ-પક્ષિય વિશ્ર્વાસ ગંભીર રીતે નબળો પડી શકે છે.

- Advertisement -

જૈશ અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી હતી કે ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ અલ-અદલ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો ઓછામાં ઓછા છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જૈશ અલ-અદલ લડવૈયાઓના બે મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યો જાનહાનિ બન્યા હતા. આ હુમલામાં બે સગીર બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં એક કિશોરી સાથે બે મહિલાઓ ઘાયલ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular