Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારજમવા બાબતે પત્ની સાથેની બોલાચાલીનું લાગી આવતા પતિની આત્મહત્યા

જમવા બાબતે પત્ની સાથેની બોલાચાલીનું લાગી આવતા પતિની આત્મહત્યા

- Advertisement -

ધ્રોલ ગામમાં આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા યુવાનને જમવા બાબતે તેની પત્ની સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા રૂમના મોભારા સાથે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલા ડફેરવાસ ગાયત્રીનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા અયુબભાઈ ગફારભાઈ જુણેજા (ઉ.વ.34) નામના યુવાનને મંગળવારે રાત્રિન સમયે તેની પત્ની સલમાબેન સાથે જમવાની બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા અયુબે મોડીરાત્રિના સમયે તેના ઘરે મોભારા સાથે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકની પત્ની સલમાબેન દ્વારા જાણ કરાતા હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular