ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં શનિવારે સંપૂર્ણ સીઝફાયરની ઘોષણા કરવામાં આવતા સોમવારે ભારતીય શેર બજારમાં રીવર્સલની સંભાવના બળવતર બની છે. સોમવારે ભારતીય બજારમાં સ્પ્રીંગ જેવો ઉછાળો જોવા મળી શકે છે.

પહેલગામ આતંકી હુમલા બાદ નિર્માણ પામેલી યુદ્ધ જેવી સ્થિતિમાં છેલ્લાં ત્રણ દિવસથી થઈ રહેલા સતત વધારાને કારણે તેમજ બોર્ડર પર નિર્માણ પામેલી યુદ્ધની સ્થિતિમાં મજબુત દેખાઈ રહેલું ભારતીય શેરબજાર દબાવમાં આવી ગયું હતું. એટલું જ નહીં છેલ્લાં 15 દિવસથી સતત લેવાલી કરી રહેલા એફઆઈઆરએ પણ શુક્રવારે લગભગ સાડા ત્રણ હજાર કરોડની વધુની વેચવાલી કરી હતી. તેમજ બજારમાં પણ નેગેટિવ સેન્ટીમેન્ટ સજાર્યુ હતું. જેને કારણે બે દિવસમાં નિફટીમાં 500 થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો પરંતુ, હવે જ્યારે બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે ત્યારે સ્પ્રીંગની જેમ દબાયેલું ભારતીય શેરબજાર સોમવારે મોટો ઉછાળો નોંધાવે તેવી બજાર નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેન્સ પરિસ્થિતિ વચ્ચે પણ શુક્રવારે ભારતીય શેરબજારના સુચકઆંક નિફટીએ 24000 ની મહત્વપૂર્ણ સાયકોલોજીકલ સપાટી જાળવી રાખી હતી. જો યુદ્ધ ચાલુ રહે તો અહીંથી મોટા બ્રેકડાઉનની સંભાવનાઓ પણ જોવાઈ રહી હતી. પરંતુ, હવે યુદ્ધની પરિસ્થિતિનો અંત આવ્યો છે ત્યારે ભારતીય બજાર ફરીથી તેના મુળ રસ્તે એટલે કે પોજીટિવ સેન્ટીમેન્ટ પર આગળ વધી શકે છે. બજાર નિષ્ણાંતોના મત અનુસાર, સોમવારે ભારતીય બજાર મોટા ગેપ અપ સાથે ખુલ્લી શકે છે. તેમજ નિફટીમાં 300 થી 400 અને સેન્સેકસમાં 1200 થી 1500 પોઈન્ટનો ઉછાળો જોવા મળી શકે છે.
(ડિસ્ક્લેમર : ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)