Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ ઝોન હેઠળના વિસ્તારોમાં 1-2 સપ્ટેમ્બરે પાણી વિતરણ બંધ

સમર્પણ ઝોન હેઠળના વિસ્તારોમાં 1-2 સપ્ટેમ્બરે પાણી વિતરણ બંધ

- Advertisement -

જામનગરમાં વોર્ડ નં.07 માં પંડિત દિનદયાળ આવાસ કોલોની રોડ ઓવરબ્રીજ પાસે પાણીની મુખ્ય લાઈન લિકેજ હોવાને કારણે આ લાઈન બદલવાનું કામ કરવા માટે તા.1 સપ્ટેમ્બરથી તા.02 સપ્ટેમ્બર સુધી સમર્પણ ઝોન હેઠળના વિસ્તારો જેવા કે શિવમ સોસાયટી, ઓશવાળ-2-3-4, પટેલનગરી, મહાવીરપાર્ક, શિવમ પાર્ક, સિધ્ધી પાર્ક, મેહુલનગર, ગોકુલધામ, દવાબજાર, અંધાશ્રમ, અજંતા સોસાયટી, પ્રગતિ પાર્ક, લક્ષ્મીપાર્ક, રેવન્યુ કોલોની, અપૂર્વ રેસીડેન્સી, સમર્પણ વિલા વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે 3 સપ્ટેમ્બરે ઉપરોકત વિસ્તારોમાં રાબેતામુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular