કાલાવડ ગામમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતાં ખેડૂત યુવાનને વાડીના સેઢે વોંકળામાંથી માટી ભરવાને બાબતે પિતા-પુત્રએ ગાળો કાઢી ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જશાપર ગામના વતની અને હાલ કાલાવડમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતાં હિરેનભાઈ મનોજભાઈ સાવલીયા (ઉ.વ.25) નામના યુવાન ઉપર ગત તા.17- ના સાંજના સમયે તેના જ વિસ્તારમાં રહેતાં મયુર નરશી સાવલીયા અને તેના પિતા નરશી ગોરધન સાવલીયા નામના પિતા-પુત્ર શખ્સે હિરેન અને તેના પિતા મનોજભાઈ ઘરની બહાર નિકળ્યા ત્યારે મયુરે તમે મારા સેઢે આવેલ વોંકળામાંથી માટી કેમ ભરી હતી ? તેમ કહી પિતા-પુત્રને ગાળો કાઢી બોલાચાલી કરી હતી. ત્યારબાદ મયુરે તેના ઘર બહાર પડેલા ધોકા વડે હિરેન ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. અને મયુરના પિતા નરશીએ ગાળો કાઢી હતી. હુમલામાં ઘવાયેલા હિરેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો એએસઆઈ વી ડી ઝાપડીયા તથા સ્ટાફે હિરેનના નિવેદનના આધારે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.