Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રી દ્વારા જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

મુખ્યમંત્રી દ્વારા જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

- Advertisement -


મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular