દેશમાં આજથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. તે ફિલ્મ પુષ્પા-2નો શો જામનગરમાં આજે સવારના 6:30 વાગ્યાનો શો ટેકનિકલ કારણોસર શરુ ન થતાં દર્શકો સંચાલકો સામે ગુસ્સે ભરાયા હતાં. પીવીઆર સિનેમામાં ફિલ્મ પુષ્પા-2ના પોસ્ટરો તોડી નાખવામાં આવ્યા હતાં. જે બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી જઇ પોલીસે મામલો બિચક્યા પહેલાં શાંત પાડયો હતો.