જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત વધુ એક ગુનેગાર સામે ‘પાસા’ની દરખાસ્ત મંજૂર કરાતાં ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નંબર 2 માં રહેતો વિજય કેશુ વરાણિયા નામના શખ્સ વિરૂદ્ધ મારામારીના ચાર ગુનાઓ નોંધાયેલા હોય વિજય વિરૂદ્ધ ‘પાસા’ની દરખાસ્ત કરવા માટેની પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના સંદર્ભે પીઆઇ વી. બી. ચૌધરી, એન. બી. ડાભી તથા સ્ટાફના રાજનભાઇ અને યોગરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી અને આ દરખાસ્ત કલેક્ટર પી. બી. પંડયા દ્વારા મંજૂર કરાતા પાસા વોરન્ટની બજવણી માટે પીએસઆઇ વી. એ. પરમાર તથા સ્ટાફના શરદભાઇ પરમાર અને હિરેન વરણવા દ્વારા વિજય વરાણિયાની ‘પાસા’ હેઠળ ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


