Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકાધિશના દર્શનાર્થે જતા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત

દ્વારકાધિશના દર્શનાર્થે જતા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત

એક વ્યક્તિનું ગંભીર ઈજા પહોંચતા મોત : વાંકાનેર પંથકના દોઢ ડઝન જેટલા શ્રદ્ધાળુઓને નાની મોટી ઈજાઓ : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઇ રહેલા શ્રધ્ધાળુઓના ટ્રેક્ટરને જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 18 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

ગમખ્વાર અકસ્માત અંગેની વિગત મુજબ, વાંકાનેર પંથકમાં રહેતાં શ્રધ્ધાળુઓ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે ટ્રેકટરમાં જઈ રહ્યા હતાં તે દરમિયાન રાત્રિના સમયે ટ્રેકટર જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક પહોંચ્યું ત્યારે આવતી કાર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં ટે્રકટરમાં મુસાફરી કરી રહેલા અઢાર જેટલા વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. ઉપરાંત આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. અને મૃતદેહનો કબ્જો સંભાળી ઓખળ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular