Saturday, April 20, 2024
Homeરાજ્યઆર્થિક સંકળામણથી કંટાળીને ખંભાળિયાના યુવાને જિંદગી ટૂંકાવી

આર્થિક સંકળામણથી કંટાળીને ખંભાળિયાના યુવાને જિંદગી ટૂંકાવી

- Advertisement -

ખંભાળિયામાં ગિરધરનગર વિસ્તારમાં આવેલા હોન્ડાના શોરૂમની પાછળના ભાગે રહેતા જગદીશભાઈ કાનજીભાઈ જાદવ નામના યુવાનને છેલ્લા ઘણા સમયથી ટી.બી. તથા સુકા થાઇરોડની બીમારી હોવાથી તેઓ કાંઈ કામ ધંધો કરી શકતા ન હતા.

- Advertisement -

આ પરિસ્થિતિમાં તેમણે અગાઉ બેંકમાંથી લીધેલી લોન સંદર્ભે દેવુ વધી જતા આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે અનાજમાં નાખવાની ગોળીઓ ગળી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવાની જાણ મૃતકના પત્ની જલ્પાબેન જગદીશભાઈ જાદવે પોલીસમાં જાણ કરતા પોલસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular