Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના

જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના

4 જુને ‘ઝીરો શેડો ડે’: બપોરે 12.48 મિનિટે પડછાયો થશે ગાયબ

- Advertisement -

જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ એક ખગોળીય ઘટના સર્જવા જઇ રહી છે. શનિવાર અને 4 જૂનના દિવસે ‘ઝીરો શેડો ડે’ તરીકે ઉજવાશે, અને બપોરના 12.48 મિનિટે સૂર્ય બરાબર માથા પર આવશે, અને તેનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે. જેથી 4 જૂન ની “ઝીરો શેડો ડે” તરીકે ઉજવણી કરાશે.

- Advertisement -

ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય થઈ જાય છે. જેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભૃમણ કરે છે, અને સૂર્ય ની આસપાસ પરિક્રમા કરે છે.

સૂર્ય હંમેશા એકની એક જગ્યા એ ઊગતો દેખાતો નથી, ઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છે, અને શિયાળા માં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે.

- Advertisement -

સૂર્ય પોતાની ઉત્તર તરફ ની આકાશીયાત્રા દરમ્યાન વધુમાં વધુ ખસીને 23.5 અંશે ઉગ્યા બાદ ફરી દક્ષિણ તરફ ખસવા માંડે છે. તેને દક્ષિણાયન કહેવાય છે. જે 22 જુન આસપાસ હોય છે. આ દિવસે આપણા ત્યાં મોટામાંમોટો દિવસ હોય છે.

સૂર્ય ની ગતી દરમ્યાન પૃથ્વી ના કર્કવૃત-(ટ્રોપિક ઓફ સેન્સર) +23.5 અંશ. અને મકરવૃત(ટ્રોપિક ઓફ કેપરિકોન)-23.5 અંશ ના વિસ્તાર માં વર્ષ દરમિયાન “ઝીરો શેડો ડે” બે દિવસ થાય છે.

- Advertisement -

જ્યારે સૂર્યનું ડેકલિનેશન-ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય,જ્યારે સૂર્ય લોકલ મેરિડીયન ને ક્રોસ કરે ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડે, ત્યારે ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે.

અલગઅલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગઅલગ હોય છે.
દ્વારકા – 2 જૂન ;-12.50, રાજકોટ – 3 જૂન ;-12.45, જામનગર-4 જૂન;-12.48, ધ્રોલ-5 જૂન ;-12.47, મોરબી -7 જૂન ;-12.49., ભૂજ -13 જૂન ;-12.51 તારીખ અને સમય છે. સૂર્યની દક્ષિણાયન ગતી દરમ્યાન 8 જુલાઈ ના રોજ ફરી થી જામનગર શહેર માં ઝીરો શેડો ડે માણી શકાશે.આ દિવસે જામનગરમાં ફરી થોડી ક્ષણો માટે સૂર્ય નો પડછાયો અદ્રય થઇ જશે.

ઉપરોક્ત બંને દિવસો દરમિયાન જામનગરની ખગોળ પ્રેમી જનતાએ સૂર્ય પ્રકાશ નીચે ઊભા રહીને સ્વયંભૂ તેની અનુભૂતિ કરવા અને આ અલૌકિક ખગોળીય ઘટનાના જાતેજ સાક્ષી બનવા માટેનો જામનગર ખગોળવિદ કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular