Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆદેશ્વર ભગવાનનો કેવળજ્ઞાન કલ્યાણક ઉજવાયો

આદેશ્વર ભગવાનનો કેવળજ્ઞાન કલ્યાણક ઉજવાયો

જામનગર શહેરમાં ચાંદીબજારમાં આવેલા શેઠજી દેરાસરમાં આવેલ 24 તિર્થંકરોમાંના પ્રથમ આદેશ્ર્વર ભગવાનના જિનાલયમાં ગઇકાલે આદેવશ્ર્વર ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણક હતો. જે નિમિત્તે સવારે 6:30 કલાકે સંગીત સાથે સ્નાત્ર મહોત્સવ, સવારે 8 કલાકે દાદાને પક્ષાલ પૂજા (દાદાને ભવ્યાતિભવ્ય અંગરચના) તથા રાત્રે 8:30 કલાકે ભક્તિ ભાવના મુંબઇના સંગીતકાર કેૈવનભાઇ દ્વારા ભણાવવામાં આવી હતી.

- Advertisement -

ત્યારબાદ ભગવાનને મંગળદિપક-આરતી ઉતારવામાં આવી હતી. જેનો જૈન ભાઇઓ-બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તા. 18ને શુક્રવારના રોજ આદેવશ્ર્વર ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular