Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમુંબઇમાં નારાજ જૈન સમુદાયે બનાવી અલગ પાર્ટી

મુંબઇમાં નારાજ જૈન સમુદાયે બનાવી અલગ પાર્ટી

શાંતિદૂત જન કલ્યાણ પાર્ટી બનાવી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા ચેતવણી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા, જૈન સમુદાયે કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યા બાદ પોતાનો રાજકીય પક્ષ, શાંતિદૂત જન કલ્યાણ પાર્ટી (SDJKP) બનાવવાની જાહેરાત કરી છે. સમુદાયને લાગ્યું કે તેમને આ મુદ્દા પર રાજકીય સમર્થન મળી રહ્યું નથી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. SDJKP નું ચૂંટણી પ્રતીક કબૂતર હશે, જેને જૈન ધાર્મિક નેતાઓએ શાંતિનું પ્રતીકે ગણાવ્યું છે. પાર્ટીનો મુખ્ય એજન્ડા પશુ સંરક્ષણ અને કબૂતર ઘરોનો મુદ્દો હશે, જેને તેઓ આગામી ચૂંટણીઓમાં પ્રકાશિત કરશે. આ મુંબઈના મતદારોને એક નવો વિકલ્પ આપશે.

- Advertisement -

એક સમુદાયના નેતાએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે: જો સરકાર કબૂતરોને ખવડાવવાના મુદ્દા પર નિર્ણય લેવામાં નિષ્ફળ જશે, તો અમે અમારા વિરોધ શરૂ કરીશું અને ચૂંટણી પણ લડીશું. દાદરમાં કબૂતરો માટે પ્રાર્થના સભામાં આ જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં BMC દ્વારા કબૂતર ઘરો બંધ કર્યા પછી મૃત્યુ પામેલા કબૂતરોને શ્રદ્ધાંજાલિ આપવામાં આવી હતી. ઘણા જૈન ધાર્મિક નેતાઓ મેળાવડામાં હાજર હતા, અને સરકારને કબૂતરોના ખવડાવવાના મેદાનો ફરીથી ખોલવા વિનંતી કરી હતી. કેટલાક નેતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે વર્તમાન સરકાર જૈન સમુદાયના ટેકાથી સત્તામાં આવી છે.

એક નેતાએ કહ્યું, એ ભૂલવું ન જોઈએ કે ગુજરાતી અને મારવાડી સમુદાયો કુદરતી આફતો કે અન્ય કટોકટી દરમિયાન સૌથી વધુ કરદાતા અને દાતા છે. બીજા નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું, જો એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તે ઠીક છે. મને લાગે છે કે કબૂતરના મળથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓને ટેકો આપતા ડોકટરો પણ મૂર્ખ છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, મુંબઈમાં જુલાઈથી ચાલી રહેલા કબૂતરખાનાં બચાવો અભિયાન અંતર્ગત રાજસ્થાની છતીસ કોમ કમિટી-કોલાબા અને અરિહંત ગ્રુપ દ્વારા દાદરના યોગી સભાગૃહમાં કબૂતર શાંતિદૂત બચાવો સનાતનીઓં કી પુકાર વિશાલ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. કોલાબા જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન જૈન નરેશમુનિ મહારાજસાહેબના નેજા હેઠળ યોજાનારી આ ધર્મસભામાં સનાતની સાધુ-સંતો પણ હાજર રહેશે.

આ બાબતની માહિતી આપતાં નરેશમુનિ મહારાજસાહેબે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે જુલાઈ મહિનામાં મુંબઈનાં 51 કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જાહેર આરોગ્યની ચિતાઓને કારણે રહેણાક વિસ્તારોમાં કબૂતરો ખવડાવવાનાં જાહેર સ્થળો બંધ કરવાના બોમ્બે હાઈ કોર્ટના આદેશ પછી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ અને ઉપનગરોમાં 13 સંભવિત નવાં કબૂતરખાનાં માટે જગ્યા પણ શોધી રાખી છે. પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ બોરીવલીના નેશનલ પાર્ક પરિસરમાં આવેલા દિગંબર જૈન મંદિર પાસે એક કબૂતરખાનું શરૂ કરવા માટે પહેલ કરી હતી, પરંતુ પર્યાવરણવાદીઓ અને સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે ચિતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે નેશનલ પાર્ક ઇકો ઝોનમાં આવતો હોવાથી અને કબૂતરખાનાને કારણે સ્વાસ્થ્ય સંબંધી ચિતા વધી શકે છે. મરાઠી એકીકરણ સમિતિ પણ કબૂતરખાના માટે શોધેલી જગ્યાઓનો વિરોધ કરી રહી છે. આ વિવાદો વચ્ચે હજારો કબૂતરો એમનો જીવ ગુમાવી રહ્યાં છે. ફરી એક વાર જીવદયાપ્રેમીઓને કબૂતરખાનાના મુદ્દે જાગૃત કરવા માટે અમે શનિવારે ધર્મસભા ભરવાનું નક્કી કર્યું છે. એમાં અમે દિવાળીના તહેવારો પછી આઝાદ મેદાનમાં અનશન પર ઊતરવાની જાહેરાત કરીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular