કોંગ્રેસ-આરજેડી દ્વારા યોજાયેલી સભામાં વડાપ્રધાનના દિવંગત માતૃશ્રી અંગે કરવામાં આવેલા વાણીવિલાસને લઈને સાંસદ પૂનમબેન માડમે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પૂનમબેન માડમે જણાવ્યું કે, રાજકારણમાં મતભેદ અને ટીકા-ટિપ્પણીઓ ચાલે પણ કોઈના સ્વર્ગસ્થ માતા-પિતાને લઈને અપમાનજનક શબ્દો પ્રયોગ કરવો એ અયોગ્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવું વર્તન માત્ર રાજકીય સદભાવનાને ઠેસ પહોંચાડે છે નહિ પરંતુ સમાજમાં ખોટો સંદેશ પણ આપે છે.


