જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બિહારના યુવાનનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતો અનુજ યાદવ (ઉ.વ.38) નામનો યુવાન કોઇ કારણસર બેશુદ્ધ થઈ જતાં કાસમભાઈ સુંભણિયા દ્વારા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.