Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખીજડા મંદિરમાંથી સગીરનું અપહરણ

જામનગરમાં ખીજડા મંદિરમાંથી સગીરનું અપહરણ

ત્રણ દિવસ પૂર્વે સવારના સમયે સગીર લાપતા : પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં સગીરનું અજાણ્યો શખ્સો અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર શહરેમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા ભંગારવાડી શેરીમાં આવેલા શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં એક સગીર બાળકને ગત તા.28 ના રોજ સવારના સમય દરમિયાન અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ.ચાવડા તથા સ્ટાફે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular