Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક સીએનજી રીક્ષા પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત

જામનગર નજીક સીએનજી રીક્ષા પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર કોટન મીલ પાસેના રોડ પરથી પસાર થતી સીએનજી રીક્ષાના ચાલકે કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતાં અમરશીભાઈ રાણાભાઈ ખીમસુરીયા (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.28 ના રોજ સવારના સમયે તેની જીજે-10-ટીડબલ્યુ-5882 નંબરની સીએનજી રીક્ષા લઇને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર કોટન મીલ પાસેના રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત રીક્ષાચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની મૃતકના ભાઈ સુરેશ દ્વારા જાણ કરાતા પીઆઈ જી.જે.ગામીત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular