Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારઓખા નજીક યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

ઓખા નજીક યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

- Advertisement -

ઓખા નજીક ઉષેશ્વર મહાદેવ મંદિરની બહાર એક અજાણ્યા યુવાનનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક આવેલ ઉષેશ્વર મહાદેવ મંદિરની બહાર ફૂટપાથ પર રહેતા અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યા યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવતાં મૃત્યુ નિપજ્યું હતું. તેણે શરીરે ટી-શર્ટ તેમજ ચડ્ડો પહેર્યો હોય પોતાના હાથમાં જયશ્રી રામ અને હાથની કલાઇમાં અંગ્રેજીમાં એમ.જે. ત્રોફાળ્યુ હોય પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી યુવાન અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular