Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પત્ની રીસામણે જતી રહેતા યુવાન પતિની આત્મહત્યા

જામનગરમાં પત્ની રીસામણે જતી રહેતા યુવાન પતિની આત્મહત્યા

જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતાં યુવાનની પત્ની માવતરે રિસામણે જતી રહેતા મનમાં લાગી આવતા પત્નીના વિયોગમાં યુવાન પતિએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા યોગેશ્ર્વરધામમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ સગર (ઉ.વ.39) નામના યુવાનના પત્ની માયાબા તેણીના માવતરે રીસામણે જતા રહ્યા હતાં આ બાબતનું પતિ ધર્મેન્દ્રસિંહને મનમાં લાગી આવતા પત્નિના વિયોગમાં સોમવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમમાં રહેલા પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણના આધારે હેકો બી એચ લાંબરીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પત્નીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular