જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતાં યુવાનની પત્ની માવતરે રિસામણે જતી રહેતા મનમાં લાગી આવતા પત્નીના વિયોગમાં યુવાન પતિએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા યોગેશ્ર્વરધામમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ સગર (ઉ.વ.39) નામના યુવાનના પત્ની માયાબા તેણીના માવતરે રીસામણે જતા રહ્યા હતાં આ બાબતનું પતિ ધર્મેન્દ્રસિંહને મનમાં લાગી આવતા પત્નિના વિયોગમાં સોમવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમમાં રહેલા પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણના આધારે હેકો બી એચ લાંબરીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પત્નીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.