Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ એક વ્યાજખોર વિરૂધ્ધ ધમકી આપ્યાની ફરિયાદ

જામનગરમાં વધુ એક વ્યાજખોર વિરૂધ્ધ ધમકી આપ્યાની ફરિયાદ

નોકરિયાત યુવાને આર્થિક તંગીના કારણે રૂપિયા વ્યાજે લીધા: રૂા.75000 ચુકવ્યા : વધુ વ્યાજની ઉઘરાણી માટે વ્યાજખોર દ્વારા ગાળો કાઢી ધમકી

જામનગર શહેરમાં રહેતાં અને નોકરી કરતા યુવાને ઘરની આર્થિક તંગીના કારણે વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ સહિત ચુકવી દીધા બાદ વ્યાજખોર દ્વારા વધુ વ્યાજની ઉઘરાણી કરવા યુવાનને મારી નાખવાની ધમકી આપી સહિ કરેલા કોરો ચેક બાઉન્સ કરાવી ફરિયાદ કરવા ધમકાવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ પર કુકરા કેન્દ્ર પાસેના સંતકબીર આવાસ બ્લોક નંબર-એ ફલેટ નંબર 507 માં રહેતાં અને નોકરી કરતા કાનજીભાઈ ભરતભાઈ બુધ્ધભટ્ટી નામના યુવાને ઘરમાં આર્થિક તંગીના કારણે પટેલ કોલોનીમાં રહેતાં કલ્પેશ જનકરાય મહેતા નામના વ્યાજખોર પાસેથી રૂા.80 હજાર કટકે-કટકે 6.25% ના વ્યાજે લીધા હતાં અને આ રકમ પેટે કાનજીભાઈએ માસિક વ્યાજના રૂા.5000 લેખે રૂા.75000 ચૂકવી દીધા હતાં અને હવે યુવાન પાસે વ્યાજના રૂપિયા ન હોય જેથી વ્યાજ ચૂકવી શકતો ન હતો. ત્યારબાદ વ્યાજખોરે યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી અને સહી કરેલા કોરા ચેકમાં વધુ રકમ ભરી બેંકમાં ચેક બાઉન્સ કરાવી ફરિયાદ કરાવીશ તેવી ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતો હતો. વ્યાજખોરના ત્રાસથી ત્રાસી ગયેલા યુવાનને પોલીસમાં જાણ કરતા પીએસઆઈ જે પી સોઢા તથા સ્ટાફે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular