Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આવી પહોંચતા જામનગર એરફોર્સ ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, પૂર્વ મંત્રીવસુબેન ત્રિવેદી, કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કાગથરા સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

- Advertisement -

જામનગરનાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી વડાપ્રધાન દ્વારા રૂ.1448 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર જામનગરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular