Tuesday, March 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયયુક્રેન યુધ્ધ : એક લાખ મોત, 80 લાખ લોકો બેઘર

યુક્રેન યુધ્ધ : એક લાખ મોત, 80 લાખ લોકો બેઘર

100 દિવસના યુધ્ધમાં સવર્ત્ર બરબાદી જ બરબાદી...

- Advertisement -

યુક્રેન પર રશિયાના આક્રમણને 100 દિવસ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન 30,000 રશિયન સૈનિકોને માર્યા હોવાનો યુક્રેનનો દાવો છે. યુદ્ધમાં દરરોજ સેંકડો યુક્રેનિયન સૈનિકો માર્યા જાય છે. વિશ્લેષકોનો અંદાજ છે કે યુક્રેનિયન સૈનિકો અને નાગરિકો સહિત 60-70 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા એક લાખથી વધુ છે.

- Advertisement -

મેરીયુપોલ શહેર પર રશિયન કબજાના કારણે યુક્રેનથી વિશ્વમાં ઘઉંની નિકાસનો માર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે ખાસ કરીને આફ્રિકામાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. યુક્રેનમાં અભ્યાસ કરતા વિશ્વભરના હજારો વિદ્યાર્થીઓને તેમના દેશમાં પાછા ફરવું પડ્યું છે. રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેલ અને ગેસના ભાવ આસમાને છે.

તેનાથી સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી છે. શ્રીલંકા જેવા દેશો ભયંકર સંકટમાં છે. ભૂખમરો, દવાઓનો અભાવ, સારવાર ન મળવા અને હુમલાના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ મૃત્યુ બુચા અને મેરીયુપોલમાં થયા છે. યુક્રેન અને પશ્ર્ચિમી દેશોનો આરોપ છે કે રશિયન સૈનિકોએ તેમના કબજામાં રહેલા શહેરો પર કબજો કર્યો હતો, તેમની હત્યા કરી હતી અને સામૂહિક કબરોમાં મૃતદેહોને દફનાવીને પુરાવાનો નાશ કર્યો હતો. રશિયા યુક્રેનથી લઈને અવકાશમાં યુદ્ધ લઈ ગયું છે. રશિયન સ્પેસ એજન્સીએ સ્પેસક્રાફટને લઈ જતા રોકેટ પર 1001513745 લખેલું છે. ડોનેસ્ક અને લુહાન્સ્કના અલગતાવાદી ધ્વજ પણ છે.

- Advertisement -

યુદ્ધમાં લોકો સિવાય ઘર, શાળા, હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, હવાઈ પટ્ઠી, રસ્તા, વીજળી જેવી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. યુક્રેનના માનવાધિકાર આયોગના જણાવ્યા અનુસાર, રશિયન દળોના હુમલામાં 38,000 રહેણાંક ઇમારતો નાશ પામી છે. આમાં રહેતા 2.20 લાખથી વધુ પરિવારો બેઘર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular