Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયમાર્કેટ યાર્ડ્સ સહિતના સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠકો કરશે સુપ્રિમની પેનલ

માર્કેટ યાર્ડ્સ સહિતના સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠકો કરશે સુપ્રિમની પેનલ

- Advertisement -

દેશના પાટનગર દિલ્હી, ઉતરપ્રદેશ અને ઉતરાખંડને બાદ કરતા સમગ્ર દેશમાં આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખેડૂત આંદોલનના નેતાઓએ ચકકાજામનો કાર્યક્રમ જાહેર કર્યો છે. એ પૂર્વ શુક્રવારે સાંજે દિલ્હીથી જાહેરાત થઇ છે કે,ખેડૂત આંદોલનનો હલ શોધવા માટે સુપ્રિમકોર્ટ દ્વારા રચવામાં આવેલી પેનલ દેશના 10 રાજયોમાં સંબંધિતો સાથે કૃષિ કાયદાઓ મુદ્દે બેઠક કરશે.

- Advertisement -

દેશના ગુજરાત ઉપરાંત હરિયાણા, કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્રિપુરા અને ઉતરપ્રદેશમાં આ બેઠકો થશે. પેનલ સાથેની આ બેઠકમાં જુદાં જુદાં રાજયોના માર્કેટીંગ યાર્ડના સ્ટેટ બોર્ડના પ્રતિનિધિઓ, ખાનગી બજારોના આગેવાનો તથા ફુડ પાર્કના આયોજકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર ભાગ લેશે. સુપ્રિમની આ પેનલમાં ત્રણ સભ્યો છે.

પેનલે બેઠકમાં ભાગ લેનાર તમામ સ્ટેક હોલ્ડરને વિનંતી કરી છે કે,કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે આપના વિચારો અને મંતવ્યો પેનલને આપો. આ ઉપરાંત કોઇ સુચન હોય તો તે પણ જણાવી શકાશે. આ ઉપરાંત આ પેનલ વિડીયો કોન્ફરન્સ મારફત વિવિધ નવ રાજયોના ખેડૂત સંગઢનો સાથે પણ વાતચીત કરશે. આ નવ રાજયોમાં બિહાર અને ઉતરપ્રદેશ સહિતના રાજયોનો સમાવેશ થાય છે.

- Advertisement -

અત્રે એ પણ નોંધનીય છે કે, શુક્રવારે સાંજે કેન્દ્રીય કૃષિમંત્રીએ એમ પણ કહ્યું છે કે, સરકાર નવા કૃષિ કાયદાઓ લાવી તે પહેલાં રાજયો સાથે તેમજ ખેડૂતો સાથે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular