Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર પંજાબમાંથી ઝડપાયો

જામનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર પંજાબમાંથી ઝડપાયો

સિટી એ ડીવીઝન પોલીસે પંજાબમાંથી આરોપી અને સગીરાને શોધી કાઢયા : જાન્યુઆરી 2025 માં સગીરાનું અપહરણ

જામનગર શહેરમાં સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાનું જાન્યુઆરી મહિનામાં અપહરણ થયાની ઘટનામાં પોલીસે અપહરણ કરનાર શખ્સને પંજાબમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગતમુજબ, જામનગર શહેરમાં સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ગત જાન્યુઆરી મહિનામાં મધ્યરાત્રિના સમયે અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન અપહરણ કરનાર શકદાર અર્જુન રાજેશ વાઘેલા (રહે.દરેડ જીઆઈડીસી) નામના શખ્સનો ફોન બંધ આવતો હોય. જેથી પીઆઈ એન.એ.ચાવડા તથા પીએસઆઈ એમ.કે. બ્લોચ, હેકો જયેશભાઈ વઢેલ અને પ્રદિપસિંહ જાડેજા, સહિતનાઓએ તપાસ આરંભી અપહરણકર્તા પંજાબના ખરર ગામમાં હોવાની બાતમીના આધારે પોલીસની ટીમે પંજાબ પહોંચી જઈ અર્જુન રાજેશ વાઘેલા તથા સગીરાને ઝડપી લઇ જામનગર લઇ આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular