Tuesday, March 19, 2024
Homeરાજ્યજામનગરઅત્યાર સુધીમાં 29,175 આસામીઓએ મિલકતવેરામાં 1.14 કરોડનો વળતર લાભ મેળવ્યો

અત્યાર સુધીમાં 29,175 આસામીઓએ મિલકતવેરામાં 1.14 કરોડનો વળતર લાભ મેળવ્યો

એડવાન્સ વેરા વળતર યોજનાના છેલ્લા 12 દિવસ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ એડવાન્સ વેરા વળતર યોજનાના છેલ્લા 12 દિવસ બાકી રહ્યાં છે. 33 દિવસમાં 29,175 આસામીઓએ એડવાન્સ વેરો ભરી રૂા. 1.14 કરોડનો લાભ મેળવ્યો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2022-23 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે તા. 16-4-2022થી તા. 31-5-22 સુધી રિબેટ યોજના એટલે કે, વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

આ વળતર યોજના અંતર્ગત તા. 16-4-22 થી તા. 18-5-22 સુધીમાં 29,175 આસામીઓએ મિલકતવેરામાં રૂા. 1.14 કરોડનો વળતરનો લાભ મેળવેલ છે. જ્યારે આ સમય દરમિયાન રૂા. 17.63 કરોડની મિલકત વેરાની આવક થવા પામેલ છે. આ યોજના તા. 31-5-22 સુધી જ અમલમાં હોય, શહેરના જે કરદાતાઓએ આ યોજનાનો હજૂ સુધી લાભ લીધેલ નથી તેઓને એડવાન્સ વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

ચાલુ નાણાકીય વર્ષ 2022-23 અંતર્ગત તા. 1-4-21 થી તા. 18-5-22 સુધીમાં મિલકત વેરાની કુલ રૂા. 20.75 કરોડની વસુલાત થઇ છે.

- Advertisement -

તદ્ઉપરાંત તા. 31-3-06 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા/વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી યોજના તેમજ તા. 1-4-2006થી કારપેટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા/વોટરચાર્જની સાથોસાથ વ્યવસાય વેરાની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજનાનો લાભ ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના સમગ્ર વર્ષ દરમિયાન પ્રોરેટાના ધોરણે ચાલુ હોય, આ 100ટકા વ્યાજમાફી તથા 50 ટકા વ્યાજ રાહત યોજનાનો લભ લેવા પણ અનુરોધ કરવામાં આવે છે.

વેરા મહાનગરપાલિકાના (1) મુખ્ય કેશ કલેકશન વિભાગ, (2) ત્રણેય (સરુસેકશન, રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સિવિક સેન્ટરો, (3) જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કો-ઓપ. બેંક, આઇડીબીઆઇ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ બ્રાંચો તથા (4) મોબાઇલ ટેકસ કલેકશન વેનમાં સ્વિકારવામાં આવે છે. તદ્ઉપરાંત મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી પણ વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે. ઓનલાઇન ટેકસ ભરનારને 2 ટકા ડિસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂા. 250) આપવામાં આવશે.

વેરો સમયસર ભરપાઇ કરી વ્યાજના ભારણ અને કડક રિવકરી ઝુંબેશથી બચવા તથા શહેરના વિકાસકાર્યોમાં સહભાગી થવા જામ્યુકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular