Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરએમ.પી.શાહ મેડિકલ કોલેજ માં ક્ષય રોગ અને ક્ષય નિર્મૂલન અન્વયે પરિસંવાદ યોજાયો

એમ.પી.શાહ મેડિકલ કોલેજ માં ક્ષય રોગ અને ક્ષય નિર્મૂલન અન્વયે પરિસંવાદ યોજાયો

- Advertisement -

જામનગર ની એમ.પી.શાહ મેડિકલ કોલેજ માં ગત તારીખ ૧૬ અને ૧૭ ઓક્ટોબર ના તબીબી વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષય રોગ અને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ વિષય પર બે દિવસીય આ પરિસંવાદમાં ડો.કૈવંત પટેલ,ડો. ગૌરવ ખેડીયા, ડો.  રણજીત સુવા, ડો. અનેરી પરીખ, ડો.ભાવેશ મોદી, ડો.ફોરોઝ ઘાંચી વગેરે દ્વારા  વક્તવ્યરૂપી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાથે વિસ્તૃત પ્રશ્નોત્તરી અને ચર્ચા – સંવાદ નું પણ આયોજન થયું હતું.

- Advertisement -

        આ પરિસંવાદના પ્રારંભમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી,  એસ.ડી.એમ આસ્થા ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા , ટીબી ટાસ્ક ફોર્સ ના ચેરમેન ડો. ભાવેશ મોદી, મેડીકલ કોલેજ ના ડિન ડો.નંદીની દેસાઈ, તબીબી અધિક્ષક ડો.દિપક તિવારી, ચેસ્ટ વિભાગ ના ઈન્ચાર્જ ડો.એસ.એસ.ચેટરજી , જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ભારતીબેન ધોળકિયા  વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે કેસ પ્રેઝન્ટેશન કોમ્પિટિશન  રાખવામાં આવી હતી. જેમાં ૨૨  જેટલા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ રસપ્રદ કેસો પેનલ  સમક્ષ રજૂ કર્યા હતા. 

          તા.૧૭ ના બીજા દિવસે ૨૦૦ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. આ સેશનમાં ડો.ફિરોઝ ઘાંચી, ડો. ભાવેશ મોદી, ડો.નમ્રતા મકવાણા, ડો.કૈવંત પટેલ, ડો.અનેરી પરીખ, ડો.રણજિત સુવા વગેરેએ ક્ષય રોગ નિદાન,સારવાર, રોગ અટકાવવા અને પીડીયાટ્રિક ટીબી ( બાલ ક્ષય રોગ ) અને છાતી ના એક્સ-રે વિષય ઉપર છણાવટભરી માહિતી આપતા વ્યાખ્યાન આપ્યા હતા.

- Advertisement -

       કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થી માટે ટીબી કવિઝ 
“માયકોમબેકટ ”  નું આયોજન થયું હતું. જેમાં જટિલ  કેસ સ્ટડી અને ઇન્ટરેકટિવ  ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ  રાખવામાં આવ્યા હતા. કોલેજ સાહિત્ય જૂથ લિટવિટ્સ અને રેસ્પિરિટીવ મેડિસિન વિભાગ ના  તબીબો દ્વારા વાસ્તવિક ઓ.પી.ડી. અને વૉર્ડ ની કામગીરી ને  ઉજાગર કરતી મનોરંજક સ્ક્રીપટ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

      આ કાર્યક્રમ દરમિયાન ક્લિનિકલ પ્રશ્નોત્તરી માં ૭૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રચિત  અને અભિનિત નાટીકા માં રણજિત નાયર અને ચિત્રા ગણાત્રા એ ખૂબ સારી ભૂમિકા રજુ કરી હતી. પ્રશ્નોત્તરી સ્પર્ધા માં ડો. મનીષ ભાવસાર , ડો.નિસર્ગ પરમાર, કેસ પ્રતીયોગીતા માં સનોફીયા સૈયદ વીજેતા થયા હતા.

- Advertisement -

        સમગ્ર કાર્યક્રમ માટે ડો.યાસીર મર્ચન્ટ, યશવી સાતા, માનસી મોદી, ધ્વનિ મહેતા, સન્ની સાકરીયા, હિમાંશુ મહેતા, યશ ભાલાલા, શિલ્પ પટેલ, મૈત્રી મહેતા, શ્રુતિ નાયર ,ફ્રેયા કનખરા એ જાહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular