જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીના નેજા હેઠળ રંગમતી-નાગમતીના દબાણો તથા ડીપી કપાત માટેના દબાણો દૂર કરવાની કામગીરી હાલમાં જ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ગત્રાત્રિના સમયે જામનગરના વિકટોરીયા પુલ નજીક મેઇન રોડ પર નડતરરૂપ એક બાંધકામ તોડી પાડવા માટે તંત્રએ પોલીસની મદદથી એક સાઇડનો રસ્તો બંધ કરી આ બાંધકામ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી શાંતિપૂર્ણ કરવામાં આવી રહી છે.
View this post on Instagram