Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સીએ અને વિદ્યાર્થીઓ માટે ઇન્કમટેકસ ઉપર નેશનલ કોન્ફરન્સ

જામનગરમાં સીએ અને વિદ્યાર્થીઓ માટે ઇન્કમટેકસ ઉપર નેશનલ કોન્ફરન્સ

ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો. દ્વારા 6 અને 7 ઓગસ્ટના આયોજન

- Advertisement -

આઇસીએઆઇ ગુજરાતની વડોેદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાુંધીધામ અને ભુજ આમ 6 શાખાના સયુંક્ત ઉપક્રમે જામનગર ખાતે જામનગર બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા ટાઉનહોલમાં તારીખ 6 અને 7 ઓગસ્ટના રોજ સીએ મેમ્બર તથા સીએ ના વિદ્યાથીઓ માટે બે દદિસની ઇન્કમ ટેક્ષ પર નેશનલ કોન્ફરેંસ રાખી છે. અતિથિ વિશેષ તરીકે એમપી પૂનમબેન માડમ, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને કમિશનર વિજય ખરાડી ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દિલ્હીથી ICAI ના પ્રેસિડેન્ટ સીએ. (ડોક્ટર) દેબાસીસ મિત્રા, અને વાઇસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી ઉદ્ઘાટન સમયે વક્તવ્ય આપશે અને મેમ્બર અને વિદ્યાથીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કોન્ફરન્સમા ઇન્કમટેક્ષના નિષ્ણાંત વક્તાઓ દિલ્હીથી સીએ ગિરીશ આહુજા, સીએ અશ્વની તનેજા મુંબઈ થી સીએ કેતન વજાણી બેંગાલુર થી સીએ નવીન ખરીવાલ હૈદરાબાદથી સીએ કે. સી. દેવદાસ વડોદરાથી સીએ અભય દેસાઈ અને રાજકોટથી સીએ દીપક રિંદાણી અલગ અલગ વિષયો ઉપર પોતાનું વક્વ્ય આપશે.

- Advertisement -

આ કાયયક્રમની સફળતા માટે કોન્ફેરન્સ ચેરપસયન સીએ ચંદ્રશેખર ચિતાલે, કોનફેરન્સ વાઇસ ચેરપર્સન સીએ રાજ ચાવલા, કોન્ફેરન્સ ડાઇરેક્ટર પુરષોતમ ખુંડેલવાલ, કોન્ફેરન્સ કો-ડાઇરેક્ટર સીએ દીપા ગોસ્વામી, પ્રોગ્રામ ડાઇરેક્ટર સીએ મનોજકુમાર સાહુ, સીએ જીગ્નેશ રાઠોડ, સીએ સંજય ચોતારા, સીએ આદિલ દૌલા અને સીએ જહીર મેનોન તથા જામનગર બ્રાન્ચના વાઇસ ચેરપર્સન સીએ પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી સીએ પ્રિતેષ મહેતા, ખજાનચી સીએ મહમદ સફી કુરેશી અને જામનગર બ્રાન્ચ ઓફ WICASAના ચેરપસયન સીએ હરદીપવસિંહ જાડેજા મેનેજિંગ કવમટીના સભ્યો, સીએ જયદીપ રાયમુંગીયા તથા પૂર્વ ચેરમેનો તથા જામનગરના સીએના સભ્યો ત્થા ઠઈંઈઅજઅ કમિટીના સભ્યો અને વિદ્યાર્થીઑ સભ્યો સતત પ્રયત્નો કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular